બ્રાઝીલ દક્ષિણ અમરીકા મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે . તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે . બ્રાઝિલની પ્રમુખ ભાષા પુર્તગાલી છે. બ્રાઝીલની જનસંખ્યા ૨૦,૮૦,૦૦,૦૦૦ જેટલી છે. જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તથા વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ છે. તેની રાજધાની બ્રાઝીલીયા છે. તે ૭૪૯૧ કિલોમીટરનો દરીયાકિનારો ધરાવે છે.આ દક્ષિણ અમરીકાની મધ્ય થી લઈ અટલાંટિક મહાસાગર સુધી ફેલાયેલ છે અહીંની અમેઝોન નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે . આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક વિષુવતીય પ્રદેશ છે. આ ક્ષેત્રમાં જંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ પ્રજાતિઓ વાસ કરે છે.
Tuesday, October 2, 2018
અમદાવાદ જિલ્લો | Ahmedabad
આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું. અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧] એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ[૨] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'[૩] તરીકે ઓળખાવા લાગ્યું.

